ભારતના પ્રવાસે આવતા વિદેશી નાગરિકો માટે IVFRT પ્રોજેક્ટ અંગેનું જાહેરનામું, વાંચો કયા નિયમોનું કરવું પડશે પાલન..!

વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે.

New Update
ભારતના પ્રવાસે આવતા વિદેશી નાગરિકો માટે IVFRT પ્રોજેક્ટ અંગેનું જાહેરનામું, વાંચો કયા નિયમોનું કરવું પડશે પાલન..!

વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે. તેઓ કયા કયા સ્થળોએ જઈ, ક્યાં રોકાણ કરેલ છે. તેમજ તેમની મુલાકાતનું સાચું કારણ જાણી શકાય તેવી સચોટ તેમજ અસરકારક વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ નથી. તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં પણ તેઓની વિગત લાંબા સમય સુધી રાખવામાં આવતી નથી. આ બાબતનો લાભ કોઈપણ આતંકવાદી નાગરીકો કયા કારણથી ભારતમાં કે, રાષ્ટ્રદોહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો લઈ શકે તેમ છે. જેથી વિદેશી નાગરીકો કયા કારણથી ભારતમાં આવી કયા સ્થળોની મુલાકાત લીધેલ, રોકાણની વિગતો, કયાંથી પરત ગયા તે તમામ વિગતો મેળવી શકાય તેમજ તેમની ગતિવિધી ઉપર નજર રાખી શકાય તે માટે ભારત સરકાર દ્વારા આઈ.વી.એફ.આર.ટી. ઈમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકીંગ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટને દરેક દેશની એમ્બેસીઓ સાથે જોડી વિદેશી નાગરીકોની તમામ કાર્યવાહી સરકાર દ્વારા તા. ૦૧/૦૮/૨૦૧૩ના રોજ ઓનલાઈન કાર્યરત કરવામાં આવ્યો છે. જેથી ફોજદારી અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કરાયો છે કે, ભારતમાં જુદા જુદા કારણોસર વિદેશી નાગરીકો આવી હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાનામાં રોકાણ કરતા તેમજ જુદા જુદા પ્રકારની મેડીકલ સારવાર માટે રાજ્ય તેમજ જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોમાં રોકાણ કરી મેડીકલ સારવાર અને જુદી જુદી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમીશન મેળવી અભ્યાસ માટે રોકાણ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ સહિત પ્રોજેકટ હેઠળ ઓનલાઈન જોઈ શકાય તે માટે સબંધિત હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફર ખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સિટીના સંચાલક/માલીક પ્રથમ www.indianfrro.gov.in/frro/FormC વેબસાઈટ ઉપર રજીસ્ટર થયા તેનો યુઝર આઈડી અને પાસવર્ડ જે તે સંસ્થા/માલીક તેમની પાસે રેકર્ડમાં રાખે અને યુઝરઆઈડી અને પાસવર્ડની માહિતી તેમના પત્ર સાથે નિયુક્ત કરેલા અધિકારીઓને મોકલી આપે, જેથી કરીને તેઓ રજીસ્ટર થયા અંગેની જાણકારી મળી રહે. આ સાથે જ સબંધિત હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સિટીમાં જયારે જયારે વિદેશી નાગરીકો આવે ત્યારે સબંધિત સંસ્થા/સંચાલક દ્વારા www.indianfrro.gov.in/frro/Form C વેબસાઈટ ઉપર જે તે સંસ્થા/માલીક દ્વારા તેમની સસ્થાને અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે. તે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઓન થઈ ફોર્મસીમાં જે તે વિદેશી નાગરીકની તમામ સાચી વિગતો ભરી, ફોટો તેમજ અન્ય દસ્તાવેજ અપલોડ કરી, માહિતી સેવ કરી તેની પ્રિન્ટઆઉટ કાઢવી જરૂરી છે. તેમજ પરવાના નીચેની શરતો અને સુચનાઓના ભંગ બદલ પણ જે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકારીઓને પણ અધિકૃત કરવામાં આવ્યા છે. તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોઈ, આથી એક તરફી હુકમ કરવામા આવે છે. જાહેર જનતાની જાણ સારૂં સ્થાનિક વર્તમાન પત્રો તથા જિલ્લાના તમામ સિનેમા ગૃહો, વિડીયો ગૃહો તથા કેબલ ઓપરેટરો મારફતે બહોળી પ્રસિધ્ધિ દ્વારા તથા તમામ પોલીસ સ્ટેશનો/પોલીસ ચોકીઓના નોટીસ બોર્ડ ઉપર આ હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ આ હુકમની જાહેર જનતા સહેલાઈથી વાંચી શકે તે રીતે યોગ્ય સાઈઝના બોર્ડ બનાવી તેઓના કાર્યક્ષેત્રમાં આવેલ જાહેર સ્થળોએ મુકવાના રહેશે, તેવું આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

Read the Next Article

મહારાષ્ટ્ર સરકારે પંઢરપુર જતા યાત્રાળુઓ માટે ટોલ ટેક્સ માફ કર્યા

અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે.

New Update
pandharpur

અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે.

પંઢરપુરની યાત્રા દરમિયાન ૧૮ જૂન (આવતીકાલ)થી ૧૦ જુલાઇ ૨૦૨૫ સુધીના સમયમાં દર્શને જતા અને પાલખી લઇ જતા વારકરીના વાહનો માટે ટોલ ફ્રી લાગુ કરાયો છે.

આ વાહનો પર અષાઢી એકાદશી ૨૦૨૫ એવું લખેલું સ્ટીકર ફરજિયાત છે. જેના પર વાહનનો નંબર અને ડ્રાઇવરનું નામ હોવું જરૃરી છે.

આ સ્ટીકર્સ સ્થાનિક પોલીસ સ્ટેશન અને પ્રાદેશિક પરિવહન કચેરી (આર.ટી.ઓ) દ્વારા વિતરિત કરાય છે. આ સ્ટીકર વારકરી યાત્રા કરીને પાછા ફરતાં ઉપરોક્ત સમય મર્યાદામાં પ્રવાસમાં ટોલ ફ્રી રહેશે.

સાર્વજનિક બાંધકામ વિભાગ પી ડબલ્યુ ડી અને મહારાષ્ટ્ર રાજ્ય રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમ.એસ.આર.ડી.સી) અને રાષ્ટ્રીય મહામાર્ગ દ્વારા ચાલવવા જનારા સર્વ ટોલ પ્લાઝા પર સવલત લાગુ  પડશે.

સરકારે અષાઢી વારકરી દરમિયાન દર્શનાર્થીઓની સુવિધા મળે અને યાત્રા સરળ અને એવા ઉદેશ્યથી નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવ્યું છે.