/connect-gujarat/media/media_files/2025/05/29/sdKnoolIWKOAAPsPEagF.png)
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ દરમિયાન ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે, 'પાકિસ્તાને સમજી લે, ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું'.
પીએમ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. મોદીએ અલીપુરદ્વારમાં એક જાહેર સભાને સંબોધિત કરી. મોદીએ રેલીમાં ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાન પર તેમના ઘરોમાં ઘૂસીને 3 વખત હુમલો કરવામાં આવ્યો છે. સમજો... ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે પણ મજબૂત સંદેશ આપ્યો.
તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ આપણી સેનાએ તેમને સિંદૂરની શક્તિનો અહેસાસ કરાવ્યો. પાકિસ્તાને સમજવું જોઈએ કે, ભારતે તેમના ઘરમાં ઘૂસીને 3 વખત તેમના પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જો ભારત પર હુમલો થશે તો દુશ્મનને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. 1947થી આજ સુધી, પાકિસ્તાને ફક્ત આતંકવાદને પોષ્યો છે. તો બીજી તરફ, બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન ત્યાંની સેના દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને દુનિયા ભૂલી નથી.