પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો: સત્તાવાર નિવેદન

ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.

New Update
aaa

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂરહેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા.

Advertisment

ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકેઆ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરહજુ શરૂ છે. આ મામલે સરહદી વિસ્તારની સ્થિતિ વિશે સમયાંતરે સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી રહી છેજેના કારણે ફેક ન્યૂઝ અટકાવી શકાય અને દેશભરમાં ડરનો માહોલ ન સર્જાય અને સેનાની મુશ્કેલીઓ હળવી રહે. આ વિશે વધુ માહિતી આપવા માટે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પ્રેસ બ્રીફિંગ નું આયોજન કરાયું હતું.

આ પ્રેસ બ્રિફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીજનરલ સોફિયા કુરેશીવિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા હતાં. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કેછેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાની તરફથી પશ્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ શરૂ રાખવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોનલડાકુ વિમાન અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય LOC અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુરપઠાણકોટઆદમપુરભુજભંટીડા સ્ટેશનના ઉપકરણોને નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાને સવારે 1:40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો,અને હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

Advertisment
Latest Stories