સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં ભારતના રાજદૂત પર્વતાનેની હરીશે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને હંમેશા રહેશે. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના પ્રચારની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના જુઠ્ઠાણા અને પ્રચાર કાશ્મીરની વાસ્તવિકતા બદલી શકતા નથી. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.
પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. થોડા દિવસો પહેલા, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતના રાજદૂત પર્વતાનેની હરીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને હંમેશા રહેશે. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના પ્રચારની પણ ટીકા કરી છે.
પર્વતાનેની હરીશે કહ્યું, "પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાને તેમની ટિપ્પણીમાં જમ્મુ અને કાશ્મીરને ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ ગણાવ્યો છે. હું ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે, જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે, અને રહેશે." તેમણે વધુમાં કહ્યું, "પાકિસ્તાનના જુઠ્ઠાણા અને પ્રચાર કાશ્મીરની વાસ્તવિકતા બદલી શકતા નથી. તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
આ મતદાનથી તેમની પસંદગી સ્પષ્ટ થઈ ગઈ છે. પાકિસ્તાનની તુલનામાં જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી જીવંત અને મજબૂત છે." તાજેતરમાં, પાકિસ્તાનની સંસદે એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં નવી દિલ્હીને કાશ્મીરમાં લોકમત કરાવવાની માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતે આ માંગણીને પહેલાથી જ સ્પષ્ટપણે નકારી કાઢી છે. ભારતે ઘણી વાર કહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં મતદાનથી સાબિત થયું છે કે, આ કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકશાહી મજબૂત છે.