PM મોદીનો ગુજરાતમાં 3 દિવસનો પ્રવાસ, વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે.

New Update
 Jammu and Kashmir

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તેઓ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 15મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાડા ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને જવા રવાના થશે. અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે.

બીજા દિવસે 16મી સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર-મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલીપેડ પર ઉતરશેજ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. 17મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મ દિવસની સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તે 40 કલાક વતનમાં રોકાયા બાદ ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે.

Read the Next Article

રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત

New Update
Indian-Railways

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.

રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.

નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.

Latest Stories