/connect-gujarat/media/media_files/YdFdgi5YPy6X81cPoplt.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તેઓ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે15મી સપ્ટેમ્બરથી17મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાડા ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને જવા રવાના થશે. અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે.
બીજા દિવસે16મી સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે1:30 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલીપેડ પર ઉતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુરGMDC ગ્રાઉન્ડ પહોંચશે અનેGMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે.17મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મ દિવસની સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તે40 કલાક વતનમાં રોકાયા બાદ ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે.