પીએમ મોદીએ મંત્રીમંડળ સાથે જોઈ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ...

ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી

New Update
The Sabarmati Report

'ધ સાબરમતી રિપોર્ટ' તાજેતરમાં સંસદ સભાગૃહમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સહિતની હસ્તીઓએ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર રહ્યા હતા. ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંતના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. 

Read the Next Article

રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત

New Update
Indian-Railways

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.

રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.

નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.