PM મોદીએ વારાણસી બેઠક જીતી, ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર બેઠક પર વિજય, બનાસકાંઠા બેઠક કોંગ્રેસના ગેનીબેનની જીતી

લોકસભાની 543માંથી 542 બેઠકો પર મત ગણતરી યોજાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠકને જીતી લીધી, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનો ભવ્ય વિજય

author-image
By Connect Gujarat
New Update

લોકસભાની 543માંથી 542 બેઠકો પર આજરોજ મત ગણતરી યોજાય હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે. તો ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે. જોકે3 વખતમાં આ તેમની સૌથી નાની જીત છે. PM મોદીએ કોંગ્રેસના અજય રાયને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. અત્યાર સુધીનાં પરિણામો અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની રહી છેપરંતુ આ વખતે સત્તાની ચાવી એનડીએના બે મોટા ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં હશે. આવી સ્થિતિમાં ભાજપને તેના મુખ્ય એજન્ડાને આગળ વધારવામાં ઝટકો લાગી શકે છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તોગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 14 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો છે. જોકેઆ બેઠક ઉપર દેશના ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો છે. ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી પરિણામમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની 9.80 લાખ કરતાં પણ વધુ મતોથી ભવ્ય જીત થઈ છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો ભવ્ય વિજય થયો છેતેઓએ 2019નો એમનો ખૂદનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ 7 લાખથી વધુ વોટથી જીત મેળવી છે.

ગત તા. 7 મે2024ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 સીટ પર મતદાન યોજાયું હતું. જેનું કુલ મતદાન 60.13% નોંધાયું હતું. જેમાં ઉત્તર ગુજરાતની પાંચેય બેઠકો બનાસકાંઠાપાટણમહેસાણાગાંધીનગર અને સાબરકાંઠાનું સરેરાશ 62.08 ટકા મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે બનાસડેરીના આધસ્થાપક ગલબા કાકાના પુત્રવધૂ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી બેઠક પર ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે. પોતાની ભવ્ય જીત બાદ ગેનીબેન ઠાકોર પાલનપુરના પાતાળેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા,જ્યાં બનાસવાસીઓએ ગેનીબેન ઠાકોરનું મામેરુ ભર્યું હતું.

Read the Next Article

'ટ્રમ્પનો ટેરિફ હુમલો પણ ભારતની ગતિને રોકી નહીં શકે..! અમેરિકન એજન્સીએ આશ્ચર્યજનક કારણ આપ્યું...

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં, એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.

New Update
1000265927

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં,

એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.ભારતનું સોવરિન રેટિંગ આઉટલુક સકારાત્મક રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સરળતાથી સામનો કરી શકશે. કારણ કે, અમેરિકામાં નિકાસ જીડીપીના માત્ર 2% છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદી દીધા છે. આ પછી ભારતીય નિકાસકારો નિરાશ થયા છે, પરંતુ S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યિફાર્ન ફુઆ કહે છે કે, આનાથી ભારતની આર્થિક પ્રગતિ પર કોઈ અસર પડશે નહીં. ભારતનું સોવરિન રેટિંગ આઉટલૂક સકારાત્મક રહેશે. નોંધનીય છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે, અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, અને બાકીનો 25 ટકા ટેરિફ 28 ઓગસ્ટથી શરૂ થશે. પરંતુ નિષ્ણાતો માને છે કે, ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સામનો સરળતાથી કરી શકશે. ફુઆએ બુધવારે એશિયા-પેસિફિક સોવરિન રેટિંગ્સ પર એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર વેપાર પર વધુ નિર્ભર નથી. ભારતની અમેરિકામાં નિકાસ GDPના માત્ર 2 ટકા છે. તેથી, આ ટેરિફની ભારતના આર્થિક વિકાસ પર કોઈ મોટી અસર પડશે નહીં.
ગયા વર્ષે મે મહિનામાં, S&Pએ ભારતના સોવરિન રેટિંગ 'BBB-' ને સકારાત્મક દૃષ્ટિકોણ આપ્યો હતો. આ દેશના મજબૂત આર્થિક વિકાસને કારણે હતું. S&Pના તાજેતરના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. આ ગયા વર્ષ જેટલો જ છે. ફુઆએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, "લાંબા ગાળે, અમને નથી લાગતું કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર માટે મોટો ફટકો હશે. તેથી, ભારતનો સકારાત્મક દૃષ્ટિકોણ અકબંધ રહે છે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ ભારતમાં રોકાણોને અસર કરશે, ત્યારે ફુઆએ કહ્યું કે, કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના હેઠળ ભારતમાં તેમનો વ્યવસાય વધારી રહી છે. આ કંપનીઓ મોટે ભાગે ભારતની વિશાળ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે અહીં આવી રહી છે, ફક્ત યુએસમાં નિકાસ કરવા માટે નહીં. ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. કારણ કે, અહીં મધ્યમ વર્ગ ઝડપથી વધી રહ્યો છે. જે લોકો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. તેઓ ફક્ત યુએસ બજારને લક્ષ્ય બનાવી રહ્યા નથી,"