JNUમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો !

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો થયો હતો. ABVP દ્વારા આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
a

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો થયો હતો. ABVP દ્વારા આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. તેઓએ યુનિવર્સિટીમાં લગાવેલા ફિલ્મના પોસ્ટરો ફાડી નાખ્યા હતા.એક વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે, આ ફિલ્મ એકતરફી કહાની છે. ગોધરાકાંડ પછી શું બન્યું તે દર્શાવ્યું છે, પરંતુ અગાઉ શું બન્યું હતું તે દર્શાવ્યું નથી, જેના કારણે ગોધરા જેવી ઘટના બની હતી.આ ફિલ્મ 2002ની ગોધરા ઘટના અને ત્યારપછીના ગુજરાત રમખાણો પર આધારિત છે. આ ઘટના બની ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા. મોદી પર તોફાનો રોકવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ પણ લાગ્યો હતો. જોકે બાદમાં તેને ક્લીનચીટ આપવામાં આવી હતી.