Connect Gujarat
દેશ

રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદઘાટન કરવાની માગ, SCએ અરજી ફગાવી

નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિને કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ જયા સુકિને ગુરુવારે આ અરજી દાખલ કરી હતી.

રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદઘાટન કરવાની માગ, SCએ અરજી ફગાવી
X

નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિને કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ જયા સુકિને ગુરુવારે આ અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું છે કે લોકસભા સચિવાલયે રાષ્ટ્રપતિને ઉદઘાટનમાં આમંત્રણ ન આપીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસમાં લોકસભા સચિવાલય, ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. એડવોકેટ જયા સુકિને અરજીમાં કહ્યું- 18 મેના રોજ લોકસભા સચિવાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદઘાટન કરશે. સંસદમાં રાષ્ટ્રપતિ અને સંસદના બે ગૃહોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ પાસે સંસદને બોલાવવાની અને ભંગ કરવાની સત્તા છે.તે વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે અને તમામ કામ રાષ્ટ્રપતિના નામ પર થાય છે. લોકસભા સચિવાલયે વિચાર્યા વગર મનસ્વી રીતે આદેશો જારી કર્યા છે. નવા સંસદ ભવનના ઉદઘાટનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવું એ બંધારણનું ઉલ્લંઘન છે. રાષ્ટ્રપતિ પાસે કારોબારી, કાયદાકીય, ન્યાયિક અને લશ્કરી સત્તાઓ પણ છે. કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નથી, પરંતુ તે લોકશાહી પર સીધો હુમલો પણ છે. તે જ સમયે, ભાજપ સહિત 25 પક્ષો ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે.

Next Story