છત્તીસગઢનાં બીજાપુરમાં સુરક્ષાદળોએ 12 નક્સલીઓને કર્યા ઠાર,બે જવાન પણ શહીદ

છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે

New Update
Security forces kill 12 Naxalites

છત્તીસગઢના બીજાપુરમાં રવિવારે 9 ફેબ્રુઆરીની વહેલી સવારે અથડામણ દરમિયાન 12 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન 2 જવાન શહીદ થયા અને અન્ય 2 ઘાયલ છે.

છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે અને હજુ આ સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે. અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ગોળીબારમાં ઘાયલ થયા છે. આ સિવાય ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.