New Update
/connect-gujarat/media/media_files/2025/02/11/dLnbQH5UYOLRHNn0u8lK.jpg)
જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.
પરંતુ આ સ્થિતિમાં પણ પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ હટી રહ્યું નથી. તેણે સતત ચોથી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પૂંછ અને કુપવાડામાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ રવિવાર અને સોમવારે મોડી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.