દેશને મળ્યો પંબન રેલ બ્રિજ, જાણો તેની ખાસિયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રામેશ્વરમ ટાપુ અને મુખ્ય ભૂમિને જોડતા પંબન સમુદ્ર પુલનું ઉદ્ઘાટન કર્યું. 

New Update
aaaa

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રામેશ્વરમ ટાપુ અને મુખ્ય ભૂમિને જોડતા પંબન સમુદ્ર પુલનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, તેમણે રામેશ્વરમ-તાંબરમ (ચેન્નાઈ) નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો. આ ઉપરાંત, પીએમ મોદીએ કોસ્ટ ગાર્ડના જહાજને પણ લીલી ઝંડી આપી હતી. આ પુલ દેશભરમાંથી આવતા ભક્તોને રામેશ્વરમ સાથે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પંબન સી બ્રિજની વિશેષતાઓ

પંબન સી બ્રિજ એ ભારતનો પહેલો વર્ટિકલ સી-લિફ્ટ બ્રિજ છે, જેની લંબાઈ 2.08 કિલોમીટર છે અને તેમાં 99 સ્પાન છે. તેમાં 72.5 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જે 17 મીટર સુધી વધી શકે છે.
આનાથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે, જ્યારે ટ્રેન કામગીરીમાં કોઈ વિક્ષેપ પડશે નહીં. આ પુલના નિર્માણમાં 550 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.

પુલના બાંધકામ અને ટેકનિકલ પાસાઓ

પુલના માળખાને મજબૂત બનાવવા માટે 333 થાંભલાઓ અને 101 થાંભલાઓ/પાઇલ કેપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુલ બે રેલ ટ્રેક માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં વિસ્તરણની શક્યતાને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પુલ પર પોલિસિલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને કાટ લાગવાથી બચાવે છે અને દરિયાઈ વાતાવરણમાં તેનું આયુષ્ય સુનિશ્ચિત કરે છે.

ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત લોકો

આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ, રાજ્યના નાણામંત્રી થંગમ થેન્નારાસુ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. શ્રીલંકાથી પરત ફર્યા બાદ, વડા પ્રધાન મોદીનું સ્વાગત તમિલનાડુના નાણાં પ્રધાન, કેન્દ્રીય પ્રધાન એલ. મુરુગન, ભાજપ નેતા કે. અન્નામલાઈ અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ કર્યું.

Read the Next Article

ઉત્તર પ્રદેશ: અલ્હાબાદ હાઇકોર્ટે અબ્બાસ અંસારીને આપી રાહત, બે વર્ષની સજા કરી માફ

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી દરમિયા અબ્બાસ અંસારીએ જાહેર સભા સંબોધતા ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. આ મામલે એમપી-એમએલએ કોર્ટે અબ્બાસ અંસારીને 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટાકર્યો હતો

New Update
Abbas Ansari

ઉત્તર પ્રદેશની મઉ સદર બેઠકથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને અલ્હાબાદ હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે એમપી-એમએલએ કોર્ટ તરફથી બે વર્ષની સજા મામલે માફી આપી છે. આ માફી બાદ હવે પેટા ચૂંટણી નહી કરવામાં આવે.

અબ્બાસ અંસારીએ સજા માફી મુદ્દે અરજી કરી હતી. જેને હાઇકોર્ટે માન્ય કરી છે. હવે આ ચુકાદા બાદ અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ કાયમ રહેશે. અને પેટા ચૂંટણી નહી યોજાય. અબ્બાસ અંસારી તરફથી વકીલ ઉપેન્દ્ર ઉપાધ્યાયે કોર્ટેમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મહાધિવક્તા અજય કુમાર મિશ્રા અને અપર મહાધિવક્તા એમ.સી.ચતુર્વેદીએ દલીલો રજૂ કરી હતી.

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી દરમિયા અબ્બાસ અંસારીએ જાહેર સભા સંબોધતા ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. આ મામલે એમપી-એમએલએ કોર્ટે અબ્બાસ અંસારીને 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટાકર્યો હતો. આ કેસના આધારે અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ પણ જતુ રહ્યુ હતુ. તેઓએ અગાઉ સજા માફી મુદ્દે અરજીઓ કરી હતી. પરંતુ તે ફગાવાઇ હતી.

Latest Stories