/connect-gujarat/media/media_files/2025/04/30/NK62DhJ2OdxjEQPXbddD.jpg)
22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક આજે (બુધવાર, 30 એપ્રિલ) યોજાશે.
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આજે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે આજે સુરક્ષા બાબતોની સમિતિ CCS ની બેઠક પણ યોજાશે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક યોજાઇ નહોતી અને 23 એપ્રિલે ફક્ત સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક મળી હતી જેમાં પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી. ગયા બુધવારે CCS ની બેઠક બાદ ભારતે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા સહિત અનેક પગલાંની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ સેનાને છૂટ આપી
ગઈકાલે એટલે કે મંગળવારે (29 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે આતંકવાદ સામે 'જોરદાર પ્રહાર' કરવા માટે સેનાને છૂટ આપી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ તેમજ સેના, નેવી અને વાયુસેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા.