સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.

હવે ન્યાયની દેવીની આંખ પર પટ્ટી નહીં હોય અને તલવારને બદલે તેમના હાથમાં બંધારણની ચોપડી જોવા મળશે. આ ફેરફારની શરૂઆત દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ જે માને છે કે કાયદો આંધળો નથીપરંતુ દરેકને સમાન રીતે જુએ છે. 

ન્યાયની દેવીની આ નવી પ્રતિમા પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પહેલા તેની આંખો પર પટ્ટી બાંધેલી હતીહવે તેની આંખો ખુલી ગઈ છે. આ સાથે તેમના એક હાથમાં જે તલવાર હતી તેનું સ્થાન હવે બંધારણે લઈ લીધું છે.જમણા હાથમાં ભીંગડા પહેલાની જેમ હાજર છેજે સમાનતા અને ન્યાયીપણાના પ્રતીક છે.અંગ્રેજોના સમયથી ન્યાયાલયમાં ચાલી આવતી આંખે પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની પ્રથાનો અંત આવ્યો છે.