New Update
/connect-gujarat/media/media_files/EMur4jCtnE1URJqBEHqv.png)
દેશમાં ટ્રેન પાટાપરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટાપરથી ખડી પડી હતી. જલપાઈગુડીનાન્યુ મયનાગુરી સ્ટેશનપર મંગળવારેવહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેનાકારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો.
મિડીયા અહેવાલ મુજબ સવારે6:26 કલાકે અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર ખાલી માલગાડીના5 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો હતો. ઘટના બાદ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અલીપુરદ્વારડિવિઝનના અધિકારીએ જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણેકહ્યું કેઅમે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘટનાપાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ઘટના અંગેની તપાસ શરૂકરવામાં આવી છે.