જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,ભાજપ અને NCના ધારાસભ્યો વચ્ચે વક્ફ બિલ મુદ્દે ઉગ્ર બોલાચાલી

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

New Update
aa

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વધી ગયો હતો કેબંને પક્ષના નેતાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. 

નેશનલ કોન્ફરન્સે પણ વકફ કાયદા મુદ્દે ચર્ચાની માંગ કરી છે. ભાજપે તેનો વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. જેના લીધે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

વિધાનસભાની બહાર પ્રવેશ દ્વાર પર જ ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી.  તેઓએ ધક્કામુક્કી અને મારામારી કરી હતી. ભાજપના નેતાઓએNC પર આરોપ મૂક્યો હતો કેતેમણે વિધાનસભાની અંદર વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી. જ્યારે NCએ ભાજપ આરોપ લગાવ્યો હતો કેતેઓએ હોબાળો કરતા અમારા પર હુમલો કર્યો.

વકફ બિલ સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર લાગતા કાયદો બન્યો છે. જે સત્તાવાર ધોરણે લાગુ પણ થયો છે. પરંતુ તેના વિરોધમાં રાજકારણની લડાઈ થંભી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી વકફ કાયદા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગઈ છે.

Read the Next Article

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, તીવ્રતા 4.1 માપવામાં આવી

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક માહિતીમાં, તેની તીવ્રતા 4.1 જણાવવામાં આવી રહી છે

New Update
Pakistan Earthquake

દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પ્રારંભિક માહિતીમાં, તેની તીવ્રતા 4.1 જણાવવામાં આવી રહી છે. હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સવારે 9.04 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું રોહતક હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. લોકો આંચકાથી ડરીને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસાઈ છે, એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે.

ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાવાળી ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે. 9 એટલે સૌથી વધુ. અત્યંત ભયાનક અને વિનાશક તરંગ. જેમ જેમ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય તો 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.