Connect Gujarat
ગુજરાત

ટેસ્ટ ટીમમાં ધવન- રોહિતની બાદબાકી પાછળ વિરાટે બતાવ્યું આ કારણ...

ટેસ્ટ ટીમમાં ધવન- રોહિતની બાદબાકી પાછળ વિરાટે બતાવ્યું આ કારણ...
X

રાજકોટમાં આવતી કાલથી ઈન્ડિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ યોજાવાની છે.

રાજકોટમાં આવતીકાલથી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થશે. ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ શરૂ થશે. ત્યારે સતત બે દિવસથી ભારત અને વેસ્ટ ઈન્ડ઼ઝના પ્લેયર્સ ભર તળકામા પ્રેકટીસ કરી રહ્યા છે. આજે ટીમ ઈન્ડિયાએ નેટ પ્રેકટીસ કરી હતી. જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, અમે સતત બિ દિવસથી પ્રેકટીસ કરી છે. બે દિવસથી પ્રેકટીસ કરતા અમારામા આત્મવિશ્વાસમા વધારો થયો છે.

આવતીકાલે ટીમ ઈન્ડિયા પાંચ બોલરો સાથે ઉતરે તેવી સંભવાના વ્યક્ત કરી હતી. જેમા ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે રહેશે. તો સાથે જ લોકલ બોય રવિન્દ્ર જાડેજા ઘર આંગણે ખિલશે તેવુ પણ વિરાટ કોહલી એ જણાવ્યુ હતુ. ત્યારે આ વખતે ટેસ્ટ ટીમમા એશીયા કપમા સારૂ પર્ફોર્મન્સ આપનાર ધવન, રોહિત શર્મા, કરુણ નાયરને શા માટે લેવામા નથી આવ્યા. તે પ્રશ્નના જવાબમા વિરાટે જણાવ્યુ હતુ કે ટીમ પસંદ કરવાનુ કામ સિલેકટર્સનુ છે મારૂ નથી. તો સાથે જ આગામી ઓસ્ટ્રેલિયાની શ્રેણી ને લઈ યંગ સ્ટર્સને મોકો આપવામા આવ્યો હોવાનુ જણાવ્યું હતું.

Next Story