ભરૂચ : “ગ્રાહકોને ધરમધક્કા”, ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 11 દિવસથી સર્વર ઠપ્પ

New Update
ભરૂચ : “ગ્રાહકોને ધરમધક્કા”, ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 11 દિવસથી સર્વર ઠપ્પ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમમાં ખરાબી આવી છે. છેલ્લા ૧૧ દિવસથી મુખ્ય બ્રાન્ચ સહીતની અન્ય પોસ્ટ ઓફિસો બંધ રહ્યા બાદ પણ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જેના કારણે ગ્રાહકોને ધરમધક્કા ખાઈને નિરાશા સાથે પરત ઘરે ફરવું પડે છે.

ઝઘડીયા તાલુકાની ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચી છે, તેમ છતાં જિલ્લા પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓ સિસ્ટમ ઠપ્પ થવાની બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવતા નથી. છેલ્લા ૧૧ દિવસથી ગ્રાહકોને રોજ એક જ જવાબ આપવામાં આવે છે કે, સર્વર ખરાબ થયું છે. પણ સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઇડીસી, ઝઘડિયા કોર્ટ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકો ટપાલ, રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજનાના અલગ અલગ કામો અર્થે આવતા હોય છે. પરંતુ છેલ્લા ૧૧ દિવસથી સર્વર ઠપ્પ થવાથી તમામ કામગીરી ખોરંભે પડી છે. જેના કારણે પોસ્ટની એનએસસી, કેવીપી, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ, પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઇ જેવી મુખ્ય સેવાઓ બંધ થતાં પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા પડ્યા છે. ત્યારે હજારોની સંખ્યા પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો છેલ્લા બે અઠવાડિયાથી હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે.

સમગ્ર મામલે ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત માટે સંપર્ક સાધતાં તેઓએ વાત સુદ્ધા કરવાની તસ્દી લીધી ન હતી. ઉપરાંત જિલ્લા મથકે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટનો સંપર્ક કરાતા તેમના ટેલિફોન બંધ હાલતમાં હોવાના મેસેજ મળ્યા હતા. જિલ્લા પોસ્ટ માસ્ટર ઝઘડિયાની પોસ્ટ ઓફિસ માટે બેદરકારી દાખવી રહ્યા છે તે ખૂબ શરમજનક બાબત કહેવાય તેમ છે, ત્યારે હવે જિલ્લા પોસ્ટ માસ્ટર વિરૃદ્ધ પગલાં ભરવા જોઈએ તેવી પોસ્ટ ગ્રાહકો માંગ કરી રહ્યા છે.

Latest Stories
Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત...

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.