જુનાગઢ : ગિરનાર પર્વત પર આરોહત બનશે સરળ, જુઓ શું સુવિધા ઉભી કરાય

New Update
જુનાગઢ : ગિરનાર પર્વત પર આરોહત બનશે સરળ, જુઓ શું સુવિધા ઉભી કરાય

રાજયમાં પાવાગઢ અને અંબાજી બાદ હવે જુનાગઢમાં પણ રોપ-વેની સેવા શરૂ કરવામાં આવશે. શ્રધ્ધાળુઓ હવે ગિરનારની તળેટીથી રોપ-વેમાં બેસીને ટોચ સુધી પહોંચી શકશે. ગિરનાર પર્વત પગપાળા ચઢવા માટે 10 હજાર કરતાં વધારે પગથીયા છે.

રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનાર પર આરોહણ હવે સરળ બની જશે. ગિરનાર પર્વત પર ચઢવા માટે શ્રધ્ધાળુઓએ 10 હજાર કરતાં વધારે પગથીયા ચઢવા પડે છે. જેમાં શ્રધ્ધાળુઓ થાકી જવાની સાથે સમય પણ વધારે લાગી જતો હોય છે. શ્રધ્ધાળુઓ ગિરનાર પર્વત પર આરોહણ કરી શકે તે માટે હવે રોપ- વેની સુવિધા ઉભી કરવામાં આવશે. રોપ-વેની કામગીરી 90 ટકા જેટલી પુર્ણ થઇ જતાં નિષ્ણાંતોની ટીમ તપાસ માટે આવી છે અને રોપ-વેનું ટ્રાયલ લેવામાં આવી રહયું છે. યુરોપમાં આવેલાં ઓસ્ટ્રીયાથી વિદેશી નિષ્ણાંતો હાલ જુનાગઢ ખાતે આવ્યાં છે. કોરોના વાયરસની મહામારીના કારણે અત્યારે શ્રધ્ધાળુઓને દુર રાખવામાં આવી રહયાં છે. 9મી નવેમ્બરના રોજ જુનાગઢનો આઝાદી દિવસ હોવાથી તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે.

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.