ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત

New Update
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત

આંતરરાષ્ટ્રીયવન ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા રાષ્ટ્રીય રમતગમત દિવસે એટલે કે 29 ઓગસ્ટે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે. જે પસંદગી પામેલા પાંચ રમતવીરો માંથી એક છે. મરિયપ્પન ટી (પેરા-એથ્લેટિક્સ), મણિકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (કુસ્તી) અને રાની રામપાલ (હોકી ) રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત કરવાના છે.

નવી દિલ્હી સ્થિત એએનઆઈ ભારતીય ટીમના સ્ટોર્મ ઓપનર રોહિત શર્માને ખેલ રત્ન પ્રાપ્ત થતા તેમણે કહ્યું કે, દેશ દ્વારા કોઈ પણ સન્માન મેળવવું એ એક મોટું પ્રેરણાદાયક પરિબળ છે. અને તે દેશવાસીઓમાં ખુશી અને આનંદ લાવવાનો પ્રયાસ કરશે. દેશનો સર્વોચ્ચ રમતગમત સન્માન હોવાથી ખેલ રત્ન ઍવોર્ડથી સન્માનિત થવામાં હું ગર્વ અનુભવી રહ્યો છું.

બીસીસીઆઈના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં રોહિતે શર્મા એ કહ્યું છે કે, "સર્વોચ્ચ રમતનો સન્માન મેળવી ગર્વની લાગણી મહસૂસ કરું છું. હું આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું અને ખેલ રત્ન માટે મારા નામની ભલામણ કરવા તેમજ સ્વીકારવા બદલ ખેલમંત્રી અને બીસીસીઆઈનો આભાર માનું છું. હું સખત મહેનત કરવાનું વચન આપું છું અને મારા દેશ માટે કામ કરવા માંગું છું. "

વધુમાં તેમણે કહ્યું "આ એક અદ્ભુત સમૂહ છે - જેમાં સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી સામેલ છે જેમણે આપણા દેશ માટે ચમત્કાર કર્યો છે અને દેશને તેનાથી ખુશી મળી છે. આ સૂચિમાં મારા માટે શામેલ થવું એ એક મોટું સન્માન છે. અને હું ખૂબ ખુશ છું.

રોહિત શર્મા એ કહ્યું કે "તમે તમારા દેશ માટે જે કરો છો તેના માટે માન્યતા મેળવવી એ એક મોટુ પ્રેરણાદાયક પરિબળ છે અને હું હંમેશા આપણા દેશમાં ખુશી અને આનંદ લાવવાનો પ્રયત્ન કરીશ. મારા ચાહકો, મારી સપોર્ટ સિસ્ટમ અને મારા પરિવારને ખૂબ ખૂબ આભાર. તમારા વિના તે શક્ય ન હોત. સપોર્ટ કરતાં રહો અને હંમેશા ટીમની પાછળ ઊભા રહો. ખૂબ ખૂબ આભાર. "

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories