કોવિડ-19 : રાજ્યમાં આજે 990 નવા કેસ નોધાયા, 1181 દર્દીઓ થયા સાજા

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે 990 નવા કેસ નોધાયા, 1181 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 990 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 8 દર્દીના મોત થયા છે.અને રાજ્યમાં 1181 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,39,195 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4262 થયો છે.

રાજ્યમાં હાલ 10841 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,24,092 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 10775 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 990 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 197 , સુરત કોર્પોરેશનમાં 126 , વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટ કોર્પોરેશનમાં 87, સુરતમાં- 45, મહેસાણા-36, વડોદરા-32, કચ્છ-31, દાહોદ-28, આણંદ-22, પંચમહાલ-20, રાજકોટમાં 20 અને ભરુચમાં 19 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 6 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરામાં એક-એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1181 દર્દી સાજા થયા હતા અને 55,698 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 92,93,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.69 ટકા છે.