હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રાત્રિશાળા ખુલશે

New Update
હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રાત્રિશાળા ખુલશે

પરીક્ષા કેન્દ્ર બદલવાની છૂટછાટ પણ આપવા મુદ્દા પણ ચર્ચા કરાઇ

ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આજે ગાંધીનગર ખાતે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. તેમાં નિર્ણય લેવાયો છે કે હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રાત્રિશાળા શરૂ થઇ શકે છે.

પ્રામાણિક-તેજસ્વી વિદ્યાર્થી ઇચ્છે તો તેમને પરીક્ષા કેન્દ્ર બદલવાની છૂટછાટ પણ આપવા મુદ્દા પણ ચર્ચા થઇ. આજે મળેલી બેઠકમાં બે મહત્વના મુદ્દા પર એક મુદ્દો એ હતો કે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો જે મજૂરી કરવા જતાં હોય છે. તેમનું શિક્ષણનું સ્તર ઉંચું લાવવું હોય તો રાત્રિશાળાને મંજૂરી આપવા પડશે.

આ મુદ્દે ચર્ચા થઇ અને તેને લીલીઝંડી આપી દેવામાં આવી છે. જે બાળકો રેગ્યુલર અભ્યાસ માટે સ્કૂલે જઇ શકતા નથી તેમના માટે આ એક સારો નિર્ણય છે. હવે જો કોઇ સ્કૂલ રાત્રિશાળા ચલાવા માટે તમામ સુવિધા આપવા સજ્જ હોય અને માંગણી કરશે તો તેને મંજૂરી અપાશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાત્રે ૯ થી ૧૨ની સ્કૂલ ચાલે છે. જ્યારે ગુજરાતમાં દિવસ દરમ્યાન જ શાળા ચાલે છે.

Latest Stories