નવસારી : કોંગ્રેસ દ્વારા યોજાયું “જન સંવેદના આંદોલન”, ઘરણા સહિત કરાયું ચક્કાજામ
BY Connect Gujarat13 Nov 2019 8:34 AM GMT
X
Connect Gujarat13 Nov 2019 8:34 AM GMT
દેશ
અને રાજ્યની કથળતી પરિસ્થિતિઓ સામે જનતાનો પીસાવવાનો વારો આવ્યો છે, જેની સામે કોંગ્રેસ જન સંવેદના આંદોલન લઈને
રાજ્યવ્યાપી ઘરણા પર ઉતરી આવી છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન સંવેદના આંદોલન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકરો એટલા આવેગમાં આવી ગયા હતા. ભાજપા વિરોધ સુત્રોચાર કરીને માર્ગો પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું. પરંતુ પોલીસની દરમ્યાનગીરી બાદ સમગ્ર માર્ગો પરથી ધરણા સ્થળે કાર્યકરો આવી ગયા હતા. જોકે તેજીલા વિરોધને લઈને જિલ્લા કોંગ્રેસ ગેલમાં આવી ગયું હતું.
Next Story