નવસારી: માનસિક વિકલાંગ મહિલાને બાળક ચોર સમજી લોકોએ માર માર્યો

New Update
નવસારી: માનસિક વિકલાંગ મહિલાને બાળક ચોર સમજી લોકોએ માર માર્યો

નવસારીના વિજલપોરમાં માનસિક રીતે વિકલાંગ મહિલાને બાળક ચોરી જતી હોવાની આશંકાએ લોકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને માર મારતી વેળાના વાઇરલ થયેલા વીડીયોના આધારે પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરમાં એક માનસિક વિકલાંગ મહિલા ભટકી રહી હતી.તે નશામાં ધુત હોવાનું જણાય રહયું હતું. દરમ્યાન એક મહિલાને પોતાની બાળકીને ઉપાડી જશે એવી શંકા જતા બુમાબુમ કરી મૂકી હતી. જેને લઈને લોક ટોળુ ભેગું થયું હતું. જેમાં નશામાં ધૂત આ મહિલાને માર મારી રહ્યા હોવાનો વિડિઓ વાઇરલ થતા પોલીસે મામલાની તપાસ હાથ ધરી હતી. તપાસમાં મહિલા બાળક ઉપાડવા વાળી ન હતી તે માટે વીડીયોમાં દેખાતી વૃધ્ધા અને એક પુરૂષની અટકાયત કરી છે. આ ઉપરાંત માનસિક વિકલાંગ મહિલા વિરુદ્ધ પણ પ્રોબીહીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છેખોટી અફવાઓને લઈને માનસિક વિકલાંગ અજાણી મહિલાને માર ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આવી કોઈપણ બાબત હોઈ તે ગંભીરતા થી વિચારીને આગળ ધપાવવી જોઈએ. જોકે આવી અફવાઓ લોકોટોળાના માર ને કારણે જીવ પણ જતો રહેતો હોય છે. ત્યારે કાયદો હાથમાં લેવા કરતા પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપીને સત્ય બહાર લાવવું એ નૈતિક ફરજ બની રહે છે.

Read the Next Article

જૂનાગઢ : ગીર જંગલમાં વનરાજનું વેકેશન,15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ

સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

New Update
  • ગીર અભયારણ્યમાં વેકેશનનો સમય

  • 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ

  • સાવજોનો સંવનન કાળ થયો શરૂ

  • આ સમય દરમિયાન સિંહ દર્શન રહેશે બંધ

  • આ વર્ષે 8.50 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન

ગુજરાતમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતા ગીર અભયારણ્યમાં હવે વનરાજાનું વેકેશન શરૂ થયું છે,જેના કારણે તારીખ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રખવામાં આવે છે.

ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહ પ્રજાતિનો સંવનન કાળ ગણાય છે. અને ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે.ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ બે સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે.દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. 

તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે.2024-25ના વર્ષમાં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.વે છે.સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આ

Latest Stories