બોલીવુડ એક્ટ્રેસ કંગના રણૌતના દેશની આઝાદીને લઈને આપેલા નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પોતાની ડેલી પ્રેસ કોન્ફરન્સમાં કંગના પર શાબ્દિક પ્રહારો કર્યા.મલિકે એક્ટ્રેસ પાસેથી પદ્મશ્રી પુરસ્કાર પરત લઈને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવાની માગ કરી છે. મલિકે કહ્યું કે કંગનાએ તે સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓનું અપમાન કર્યું છે.

કંગના રાષ્ટ્રીય મીડિયા નેટવર્કની વાર્ષિક સમિટમાં ગેસ્ટ સ્પિકર હતા. આ દરમિયાન તેમણે સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને ભારતની આઝાદીની લડત વિશે યાદ કર્યા… તે લોકો જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ તે હિન્દુસ્તાની લોહી ન હોવું જોઈએ. તેઓ તે જાણતા હતા. અલબત્ત, તેમને એવોર્ડ પણ આપવો જોઈએ. તે સ્વતંત્રતા નહોતી, તે ભીખ હતી. આપણને 2014માં વાસ્તવિક સ્વતંત્રતા મળી હતી.