/connect-gujarat/media/media_files/2025/06/09/C7o3kHfMYnzKl88IfdWS.jpg)
શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ
ઉનાળામાં કિચનનું ટેમ્પરેચર ખુબ જ ગરમ થઈ જાય છે. ગેસની ગરમી અને બંધ ઘરના કારણે બધું મળીને રસોડામાં ઉભુ રહેવું ભઠ્ઠી સામે ઉભા હોય તેટલુ ગરમ લાગે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો વિચારે છે કે જો રસોડામાં AC લગાવવામાં આવે તો ત્યાં ઠંડક મળશે. પરંતુ શું રસોડામાં AC લગાવવું યોગ્ય છે કે નહીં ચાલો જાણીએ
રસોડામાં AC લગાવવાનું વિચારી રહ્યા હોવ તો આ જોખમોથી ભરેલુ છે. જેના કારણે અકસ્માતની શક્યતા હંમેશા રહે છે. આમાં ગેસ લીકેજનું જોખમ સૌથી વધુ રહે છે. જો રસોડું બંધ હોય અને તેમાં AC ચાલુ હોય, તો ગેસ લીક થવા પર તેની ગંધ નહીં આવે. આ તમારી સલામતીને સીધી રીતે જોખમમાં મૂકે છે.
રસોડામાં હંમેશા ગરમી ઉત્પન્ન થાય છે, ગેસ ચાલુ કરતાની સાથે જ ACની ઠંડક બિનઅસરકારક થવા લાગે છે. આમ ACને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે તેનું બિલ પણ વધે છે અને મશીન ઝડપથી ખરાબ થઈ જાય છે.
રસોઈ દરમ્યાન નીકળતો ધુમાડો, તેલ અને વરાળ ACના ફિલ્ટર અને કોમ્પ્રેસરને સીધો નુકસાન પહોંચાડી શકે છે. ACની વારંવાર સર્વિસ કરાવવી પડશે અને ACની લાઇફ પણ ઓછી થઈ શકે છે.
જો તમે રસોડાને ઠંડુ કરવા માંગતા હો, તો તમે ACને બદલે અન્ય પદ્ધતિઓ અપનાવી શકો છો. આ માટે, તમે તમારા રસોડામાં એક્ઝોસ્ટ ફેન લગાવી શકો છો. આ ધુમાડો અને ગરમ હવાને બહાર કાઢશે.
તમે Tower કુલર અથવા ડ્યુઅલ ફેનનો ઉપયોગ કરી શકો છો. તમે તેને રસોડાના ખૂણામાં રાખી શકો છો, જેનાથી હવાનો પ્રવાહ વધશે. તમે આને ઓછી કિંમતે ઓનલાઈન પણ મેળવી શકો છો.
તમારા રસોડામાં ક્રોસ વેન્ટિલેશન રાખો. જો તમે બારીઓ ખુલ્લી રાખશો, તો ગરમી બહાર નીકળી જશે. જેના કારણે રસોડામાં કોઈ ગૂંગળામણ થશે નહીં.
તમે ઇન્વર્ટર ફેન અથવા સીલિંગ ફેન પણ ઇન્સ્ટોલ કરી શકો છો. આ રસોડામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે જ્યાં જગ્યા હોય છે. તમે ઓછી ગરમીવાળા રસોઈ ઉપકરણોનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ઇન્ડક્શન કુકટોપ અથવા એર ફ્રાયર તમને મદદ કરી શકે છે.