/connect-gujarat/media/post_banners/8f0383182d00a1af1c47544cce2cd008638576eaf0f39db385af556a9b797570.jpg)
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આજે ખોડલધામના દર્શને પહોંચ્યા છે. દિલ્હીમાં અટકાયત બાદ મુક્તિ થતાં રાજકોટ એરપોર્ટથી સીધા જ ખોડલધામ જવા નીકળ્યા હતા જ્યાં માતાજીનાં દર્શન કર્યા હતા.
ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ અને મુક્તિ બાદ પ્લેન દ્વારા રાજકોટ એરપોર્ટ પર આજે સવારે ઉતર્યા હતા. એરપોર્ટ પરથી સીધા જ કાગવડ ખોડલધામ જવા રવાના થયા છે. ગોપાલ ઈટાલીયાની અટકાયત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલીયા સાંસદ રાધવ ચઢ્ઢા અને ઇંદ્રનીલ રાજ્યગુરુ સહીતના નેતાઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા.આ પ્રસંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યું છે. ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે.