રાજકોટ: દિલ્હીમાં અટકાયત બાદ ગોપાલ ઇટાલિયા સીધા પહોંચ્યા ખોડલધામ,જુઓ ભાજપ પર શું કર્યા આક્ષેપ

ગોપાલ ઇટાલિયા ની થઈ હતી ધરપકડ, દિલ્હીથી સીધા પહોંચ્યા ખોડલધામ, સમાજ સાથે હોવાનો આપ્યો સંકેત

New Update
રાજકોટ: દિલ્હીમાં અટકાયત બાદ ગોપાલ ઇટાલિયા સીધા પહોંચ્યા ખોડલધામ,જુઓ ભાજપ પર શું કર્યા આક્ષેપ

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આજે ખોડલધામના દર્શને પહોંચ્યા છે. દિલ્હીમાં અટકાયત બાદ મુક્તિ થતાં રાજકોટ એરપોર્ટથી સીધા જ ખોડલધામ જવા નીકળ્યા હતા જ્યાં માતાજીનાં દર્શન કર્યા હતા.

ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ અને મુક્તિ બાદ પ્લેન દ્વારા રાજકોટ એરપોર્ટ પર આજે સવારે ઉતર્યા હતા. એરપોર્ટ પરથી સીધા જ કાગવડ ખોડલધામ જવા રવાના થયા છે. ગોપાલ ઈટાલીયાની અટકાયત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલીયા સાંસદ રાધવ ચઢ્ઢા અને ઇંદ્રનીલ રાજ્યગુરુ સહીતના નેતાઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા.આ પ્રસંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યું છે. ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે. 

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-