રાજકોટ : ધોરાજી APMC ખાતે ફરી એકવાર ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • સરકારનું પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન

  • ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની કરાતી ખરીદી

  • ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે થયો પ્રારંભ

  • ફરી એકવાર ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદીનો પ્રારંભ

  • ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. તેવામાં રાજ્ય સરકારે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને નિર્ણય કર્યો છેત્યારે રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા તુવેરના 1510 રૂપિયા લેખે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો બીજી તરફટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-