રાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી કરે છે ચોરી

શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ.

New Update
રાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી  કરે છે ચોરી

રાજકોટના સોની બજારમાં દુપટ્ટા ગેંગની એન્ટ્રીથી જવેલર્સમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. શક્તિ જ્વેલર્સમાં ત્રાટકેલી મહિલા તસ્કરો ચારથી પાંચ કિલો જેટલા ચાંદીની ચોરી કરી ફરાર થઇ જાય છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના જોવા મળી રહી છે.

રાજકોટની સોની બજારમાં શક્તિ જ્વેલર્સ નામે દુકાન આવેલી છે. આ દુકાનમાં ચાર મહિલાઓ આવી હતી. ચાર મહિલાઓ પૈકી એક મહિલાએ જવેલર્સને વાતોમાં વળગાવી દીધો હતો જયારે બે મહિલાઓ આસપાસના માહોલ પર ધ્યાન રાખે છે. ત્રણ મહિલાઓની મદદગારીથી ચોથી મહિલા દુકાનમાંથી દાગીનાની ચોરી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોની બજારમાં માત્ર ચાર દિવસ અગાઉ જ 70 તોલા સોનું લઇ બંગાળી મેનેજર ફરાર થઈ ગયો હોવાની ઘટના પણ સામે આવી હતી.

સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવા છતાં સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી માત્ર અરજીના આધારે જ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું હતું. હવે સોની બજારમાં દુપટ્ટા ગેંગની એન્ટ્રી થતાં જવેલર્સમાં ભય વ્યાપી ગયો છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-

 

 

Latest Stories