રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આ તારીખે થશે સંપૂર્ણ, PMના હસ્તે થઈ શકે લોકાર્પણ

એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે.

New Update
રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આ તારીખે થશે સંપૂર્ણ, PMના હસ્તે થઈ શકે લોકાર્પણ

રાજકોટમા આકાર લઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હીરાસર એરપોર્ટનું કામ આગામી 30 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે. એટલું જ નહીં આગામી એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

જન્માષ્ટમીના તહેવારોમા હીરાસર એરપોર્ટ પરથી મુસાફરીના શ્રી ગણેશ કરવામા આવે તેવી માહિતી સાંપડી રહી છે. જ્યા કેલિબ્રેશન ફલાઈટોનું યોગ્ય નિરીક્ષણ કર્યા બાદ હવે અન્ય મોટા વિમાનો ઉડાન ભરી શકશે. 

આપને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી વખતે ઓક્ટોબર- 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. 10 ઓક્ટોબર 2017ના પ્રોજેક્ટને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ હતી. આ એરપોર્ટ અંદાજે 1025 એકર જમીન પર આકાર લેશે. 1400 કરોડ રૂપિયા અંદાજિત ખર્ચ છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-

Latest Stories