/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/RamMandirMovement.jpg)
૨૫મી નવેમ્બરે ઉત્તર ભારતમાં અયોધ્યા,મધ્ય ભારતમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં બેંગલુરૂમાં કેન્દ્ર બનાવીને આ રેલીઓનું આયોજન કરવામાં આવશે.
૨૫મી નવેમ્બરે અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં VHP મોટી રેલી કરવાની તૈયારીમાં છે. રામમંદિર નિર્માણ માટે સરકાર પર દબાણ વધારવું રેલીનો મુખ્ય ઉદ્દેશ છે. ૨૫મી નવેમ્બરે ઉત્તર ભારતમાં અયોધ્યા, મધ્યમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં બેંગલુરૂમાં કેન્દ્ર બનાવીને રેલી કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી સંતોની ઉચ્ચધિકાર સમિતિની બેઠકમાં દેશભરમાં આવી રેલીઓ કરવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. વીએચપીના મહામંત્રી સુરેન્દ્ર જૈન પ્રમાણે આ રેલીઓમાં ૫ થી ૧૦ લાખ સંત અને રામ મંદિર સમર્થકો ભેગા થશે.
VHP રેલીના માધ્યમથી સરકાર પર દબાવ વધારવાની રણનીતિ મુજબ 9 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશવ્યાપી રેલી કરશે. આ રેલી સંસદના શઇયાળુ સત્ર પહેલા દિલ્લીના રામલીલા મેદાનમાં આયોજીત કરવામાં આવશે. VHP ના પિતૃ સંગઠન RSS તરફથી રામમંદિર નિર્માણ માટે કાયદો કે અધ્યાદેશ લાવવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલમાં મુંબઈમાં થયેલી આરએસએસની દિવાળી બેઠક દરમિયાન RSSના સરકરવાહ ભૈયાજી જોશીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કાયદાનો માર્ગ અપનાવવાની વાત કરી હતી.
આરએસએસના વિચારક અને ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહ રામ મંદિર નિર્માણ પર પ્રાઇવેટ મેંબર બિલ લાવવાની વાત કરી ચુક્યા છે. સરકાર તરફથી પણ સતત રામમંદિર નિર્માણ પર કાયદો કે અધ્યાદેશ લાવવાના સંકેત મળી રહ્યાં છે પરંતુ સ્થિતિ સ્પષ્ટ ન થવાને કારણે વીએચપી અને સંત સમાજ સરકાર પર સતત દબાવ બનાવી રાખવા ઈચ્છે છે. સંસદના શિયાળુ સત્ર પહેલા દિલ્હીમાં વીએચપીની મોટી રેલીનું આયોજન કરીને સરકારને જણાવવા ઈચ્છે છે કે સરકાર રામમંદિર નિર્માણ પર કાયદો કે અધ્યાદેશ લાવે.