સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામા સુરક્ષા માટે વિદેશી ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

New Update
સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામા સુરક્ષા માટે વિદેશી ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

સૌરાષ્ટ્રનો સોથી મોટો લોકમેળો રાજકોટમા શરુ થઈ ચુક્યો છે. ત્યારે આગામી 5 દિવસ સુધી લોકો લોકમેળાની મજામાણી શકશે. અંદાજે 15લાખથી પણ વધુ લોકો આ મેળાની મજા માણશે. ત્યારે પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા લોકમેળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કેટલા અધિકારીઓ રહેશે તૈનાત

મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે.

પ્રથમ વખત 4જી વોકીટોકીનો ઉપયોગ કરવામા આવશે

રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર 4જી વોકી ટોકીનો ઉપયોગ થશે. વોકી ટોકીમાં વીડિયો કોલિંગ સાથે વાતચિત થશે. મહત્વનું છે કે ગત વર્ષે ઇઝરાયલ સિક્યુરિટીનો ઉપયોગ મેળામાં કરવામાં આવ્યો હતો.ત્યારે આજે પોલીસ દ્રારા આ ટેકનોલોજીનું રિયલ સલ કરવામાં આવ્યું હતું આ ટેકનોલોજી ગુજરાતમાં પ્રથમ વાર રાજકોટથી શરૂ આત કરવામાં આવી છે અને મેળામાં તેમનો ઉપયોગ કરવામાં આવશે

Read the Next Article

ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6,

New Update
vlcsnap-2025-06-17-10h23m17s708

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી.

ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું હતું. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા હતા. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરાયા હતા. નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ ગામને એલર્ટ કરાયા હતા.  ભાવનગરના ભાલ પંથકમાં દેવળિયા-પાળીયાદ ગામનો સંપર્ક તૂટ્યો હતો. ઘેલો નદીનું પાણી કોઝવે પર ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. કોઝવે પર ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.