• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શરદપૂર્ણિમાના પર્વની કરાય ઉજવણી

  • પંચાટી બજારમાં આવેલું છે મંદિર

  • નારાયણ મંદિરે ઉજવણી કરાય

  • પરંપરાગત રીતે ઉજવણી કરાય

અંકલેશ્વરના પંચાટી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના પંચાટી બજાર વિસ્તારમાં પૌરાણિક નારાયણ મંદિર આવેલું છે જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદપૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિ ભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં  રાધાકૃષ્ણ અને ગોપીના રાસ ગરબાની ઝાંખી દર્શાવવામાં આવી હતી. સાથે જ ભક્તોએ રાસ ગરબા રમી પ્રભુની આરાધના કરી હતી.