🔴 Breaking
ભરૂચ: હાંસોટના ઈલાવ સ્થિત સદગુરુ આશ્રમ ખાતે લક્ષ્મી હવનનું આયોજન,80 યજમાનોએ લીધો લાભઅંકલેશ્વર: પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઇલ સ્નેચિંગના પ્રયાસમાં યુવાનનું મોત, ચોંકાવનારા CCTV આવ્યા બહારઅંકલેશ્વર: નશાના કાળા કારોબાર સામે SOGનો સકંજો, એક સપ્તાહમાં ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટીનો જથ્થો ઝડપાયોભરૂચ: TDOની ફરિયાદ બાદ આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખની પોલીસે કરી ધરપકડ, રાજકીય ક્ષેત્રે ગરમાવોસુરત : પૂર સંકટ સામે તંત્રની સતર્કતા,NDRF, SDRF અને સેનાએ 6500થી વધુ લોકોને ઉગાર્યાભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો મને આત્મનિર્ભર બનાવવા અપાય છે વિશેષ તાલીમગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 7 દિવસ વરસાદની આગાહી, આજે 2 જિલ્લામાં યલો એલર્ટભરૂચ: વાગરાના પાદરિયા-કડોદરા માર્ગ નજીક કાસમાં  માછલીઓના મોત, GPCBએ પાણીના લીધા સેમ્પલભરૂચ: હાંસોટના ઈલાવ સ્થિત સદગુરુ આશ્રમ ખાતે લક્ષ્મી હવનનું આયોજન,80 યજમાનોએ લીધો લાભઅંકલેશ્વર: પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઇલ સ્નેચિંગના પ્રયાસમાં યુવાનનું મોત, ચોંકાવનારા CCTV આવ્યા બહારઅંકલેશ્વર: નશાના કાળા કારોબાર સામે SOGનો સકંજો, એક સપ્તાહમાં ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટીનો જથ્થો ઝડપાયોભરૂચ: TDOની ફરિયાદ બાદ આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખની પોલીસે કરી ધરપકડ, રાજકીય ક્ષેત્રે ગરમાવોસુરત : પૂર સંકટ સામે તંત્રની સતર્કતા,NDRF, SDRF અને સેનાએ 6500થી વધુ લોકોને ઉગાર્યાભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો મને આત્મનિર્ભર બનાવવા અપાય છે વિશેષ તાલીમગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 7 દિવસ વરસાદની આગાહી, આજે 2 જિલ્લામાં યલો એલર્ટભરૂચ: વાગરાના પાદરિયા-કડોદરા માર્ગ નજીક કાસમાં  માછલીઓના મોત, GPCBએ પાણીના લીધા સેમ્પલ
Featured

માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ

હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે

માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ

હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે જ માગશર મહિનામાં તુલસી પૂજાની સાથે દેવી-દેવતાઓની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. તો જાણો આ મહિનામાં કયા દેવતાઓની પૂજા કરવાથી મળશે સુખ-સમૃદ્ધિ.

સૂર્યદેવની પૂજા :-

અગ્નિ પુરાણ અનુસાર માગશર મહિનામાં વરુણના નામથી સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે અખાન મહિનામાં રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવા સાથે ફૂલ, માળા અને ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે વ્યક્તિ દરેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે.

માઁ લક્ષ્મીની પૂજા :-

માગશર મહિનામાં આવતા દરેક શુક્રવારે માઁ લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આગાહન મહિનામાં માઁ લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. માઁ લક્ષ્મીની વિધિવત પૂજા કરવાની સાથે સાથે લાલ રંગના ફૂલ અવશ્ય ચઢાવો.

ભગવાન કૃષ્ણની પૂજા :-

આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણના કેશવ સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. કેશવ સ્વરૂપની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણના કેશવ સ્વરૂપને પ્રસન્ન કરવા માટે દૂધમાં થોડું કેસર નાખીને અભિષેક કરો.

તુલસી પૂજા :-

શાસ્ત્રો અનુસાર તુલસીજીની નિયમિત પૂજા કરવાથી સુખ અને ફળની પ્રાપ્તિ થાય છે. માગશર મહિનામાં સવારે જળ અર્પણ કરીને તુલસીજીની વિધિવત પૂજા કરો અને સાંજે ઘીનો દીવો કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

Featured

માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ

હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે

માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ

હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે જ માગશર મહિનામાં તુલસી પૂજાની સાથે દેવી-દેવતાઓની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. તો જાણો આ મહિનામાં કયા દેવતાઓની પૂજા કરવાથી મળશે સુખ-સમૃદ્ધિ.

સૂર્યદેવની પૂજા :-

અગ્નિ પુરાણ અનુસાર માગશર મહિનામાં વરુણના નામથી સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે અખાન મહિનામાં રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવા સાથે ફૂલ, માળા અને ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે વ્યક્તિ દરેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે.

માઁ લક્ષ્મીની પૂજા :-

માગશર મહિનામાં આવતા દરેક શુક્રવારે માઁ લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આગાહન મહિનામાં માઁ લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. માઁ લક્ષ્મીની વિધિવત પૂજા કરવાની સાથે સાથે લાલ રંગના ફૂલ અવશ્ય ચઢાવો.

ભગવાન કૃષ્ણની પૂજા :-

આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણના કેશવ સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. કેશવ સ્વરૂપની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણના કેશવ સ્વરૂપને પ્રસન્ન કરવા માટે દૂધમાં થોડું કેસર નાખીને અભિષેક કરો.

તુલસી પૂજા :-

શાસ્ત્રો અનુસાર તુલસીજીની નિયમિત પૂજા કરવાથી સુખ અને ફળની પ્રાપ્તિ થાય છે. માગશર મહિનામાં સવારે જળ અર્પણ કરીને તુલસીજીની વિધિવત પૂજા કરો અને સાંજે ઘીનો દીવો કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.