Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs WI T20 Series : આજે ટીમ ઈન્ડિયા વિન્ડીઝ સામે સિરીઝ જીતવા ઉતરશે મેદાનમાં, કેપ્ટન રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ.!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ આજે ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે.

IND vs WI T20 Series : આજે ટીમ ઈન્ડિયા વિન્ડીઝ સામે સિરીઝ જીતવા ઉતરશે મેદાનમાં, કેપ્ટન રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ.!
X

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ આજે ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ નિકોલસ પૂરનની આગેવાની હેઠળની યજમાન વિન્ડીઝની ટીમ આ શ્રેણીમાં ટકી રહેવા પ્રયાસ કરશે.

સિરીઝની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ હાર્યા બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં શાનદાર વાપસી કરીને વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 19 ઓવરમાં મેળવી લીધો હતો. સૂર્યકુમાર યાદવે 76 રન બનાવીને તે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજી T20 મેચ દરમિયાન કપ્તાન રોહિત શર્મા પીઠમાં ખેંચાણના કારણે પાંચ બોલ રમ્યા બાદ નિવૃત્ત થયો હતો. રોહિતે બાદમાં તેની ઈજા વિશે કહ્યું 'હાલમાં તે ઠીક છે. આગામી મેચ માટે અમારી પાસે થોડા દિવસો છે આશા છે કે તે સારું રહેશે. હવે જોવાનું એ રહેશે કે રોહિત આ મેચમાં ભાગ લઈ શકશે કે નહીં. આગામી એશિયા કપ અને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત ત્યારે જ મેદાન પર આવવા માંગશે જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ હશે. જો રોહિત ચોથી T20 નહીં રમે તો રિષભ પંતને કેપ્ટનશિપની જવાબદારી મળી શકે છે.

Next Story