/connect-gujarat/media/media_files/2025/05/09/dMuo9aGxfQE4v48EsCRm.jpg)
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી IPL મેચ રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ આજે BCCIએ મોટો નિર્ણય લેતા ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝન અનિશ્ચિત સમય માટે મોકૂફ કરી દીધી છે.
આ મોટો નિર્ણય 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે.BCCI ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.
હાલ IPL 2025ની તમામ મેચ મોકૂફ રાખવામાં આવી છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.