/connect-gujarat/media/post_banners/f2bf6db0a3b54a91c56722601e7bd36e3b719986d98aaf4c9ee67fda8999ff95.webp)
બીજી T20માં, ભારતને વેસ્ટ ઈન્ડિઝએ 2 વિકેટે હરાવ્યું હતું. સતત બે T20 મેચમાં મળેલી હારથી કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો છે. હાર બાદ કેપ્ટન હાર્દિકે આ માટે સીધા બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. હાર્દિકનું માનવું છે કે અમે મેચમાં સારી બેટિંગ કરી ન હતી. જો અમે 170 રન બનાવી શક્યા હોત તો આસાનીથી મેચ જીતી શક્યા હોત.
મેચ બાદ હાર્દિકે સીધું કહ્યું હતું કે, "સાચું કહું તો અમારી બેટિંગ સારી રહી નથી. અહીં 160-170 રન મોટો ટાર્ગેટ હોત. બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે."
કેપ્ટન હાર્દિકે વધુમાં કહ્યું કે, "અમારે યોગ્ય સંતુલન હોય તે સુનિશ્ચિત કરવાના રસ્તાઓ શોધવા પડશે પરંતુ સાથે જ બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે, ચોથા નંબર પર આવનાર બેટ્સમેન આપણને વિવિધતા આપે છે. એવું લાગતું નથી. કે આ તેની બીજી આંતરરાષ્ટ્રીય મેચ છે." વાસ્તવમાં હાર્દિકે આ વાતો તિલક વર્માના વખાણમાં કહી છે.
મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરતા તિલક વર્માની પ્રથમ અડધી સદીના આધારે સાત વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં, નિકોલસ પૂરને 40 બોલમાં 67 રન બનાવ્યા અને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો.