સુરત : છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે લાભાર્થીઓ, જુઓ કેવી ઉચ્ચારી ચીમકી..!

New Update
સુરત : છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે લાભાર્થીઓ, જુઓ કેવી ઉચ્ચારી ચીમકી..!

સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો દ્વારા 300 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી થઈ છે. તેમ છતાં આજે વર્ષ 2021માં પણ લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવ્યો નથી. જો આગામી દિવસોમાં મકાનનો કબ્જો આપવામાં નહીં આવે તો લાભાર્થીઓ દ્વારા ધરણાં કરવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સુરતના ડિંડોલી નજીક ભેદવાડ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2019માં થયેલ મકાનનો ડ્રો છતાં દોઢ વર્ષથી વધુ સમય વીત્યાને લાભાર્થીઓને આ મકાનનો કબ્જો સોંપવામાં આવ્યો નથી. લાભાર્થીઓ દ્વારા મકાનની લોન પણ કરી દેવામાં આવી છે. જેના કારણે દોઢ વર્ષથી લાભાર્થીઓ મકાનના હપ્તા ભરતા આવ્યા છે. કોરોનાની મહામારીના કારણે લોકો પાસે ધંધા વેપાર રહ્યા નથી, ત્યાં એક તરફ મકાનના હપ્તા અને બીજી તરફ રૂમનું ભાડું ભરતા આવેલા લાભાર્થીઓની હવે ધીરજ ખૂટી પડી છે. અવારનવાર સ્થાનિક ધારાસભ્યો, પાલિકા અધિકારીઓને રજૂઆત કરવા છતાં મકાનનો કબ્જો લાભાર્થીઓને આપવામાં આવ્યો નથી, ત્યારે સાશકોની અદોડાઈના કારણે ગરીબ લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર ગરીબ લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે મકાનનો કબ્જો ફાળવી આપે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Latest Stories
    Read the Next Article

    પીએમ મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય

    New Update
    pm  modi ac

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી નવાજવામાં આવ્યા છે.

    આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને બ્રાઝિલના રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

    'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ' બ્રાઝિલનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે, જે સામાન્ય રીતે વિદેશી દેશોના અગ્રણી નેતાઓ અને રાષ્ટ્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે. આ સન્માનની શરૂઆત 1822માં કરવામાં આવી હતી અને આ દ્વારા બ્રાઝિલ તેના વૈશ્વિક સાથીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. નરેન્દ્ર મોદી ઉપરાંત, ઘણા અન્ય વૈશ્વિક નેતાઓને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે આપણા ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. આપણે આપણા સંરક્ષણ ઉદ્યોગોને જોડવાના આપણા પ્રયાસો ચાલુ રાખીશું. એઆઇ અને સુપર કોમ્પ્યુટરમાં આપણો સહયોગ વધી રહ્યો છે. આ સમાવિષ્ટ વિકાસ અને માનવ-કેન્દ્રિત નવીનતાની આપણી સમાન વિચારસરણીનો પુરાવો છે.

    Latest Stories