Connect Gujarat
સુરત 

સુરતની શિશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટો દ્વારા 333 કિમીની સાયકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત...

સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

X

સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરતના શિશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શિશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ દ્વારા ભરૂચ, વડોદરા તથા ઈન્દ્રજ થઈ 3 દિવસની 333 કિલો મીટરની સાયકલ યાત્રા યોજવામાં આવી છે, ત્યારે આ સાયકલ યાત્રા ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટો સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે. આ સાયકલર યાત્રાનો મુખ્ય ઉદ્દેશર ભારતમાં સાયક્લિંગ તથા “ગ્રીન ઈન્ડિયા ફિટ ઈન્ડિયા મુવમેન્ટ”ને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલો મીટર પ્રમાણે રૂપિયા 10 ડોનેશનના ભાગરૂપે અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવશે.

Next Story