સુરત: રાંદેર વિસ્તારમાં 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડીયાના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દર્જ કર્યો હતો,અને આરોપી સગીરવયના યુવકની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.જોકે નેનુએ ગત તારીખ 13/07/2025ના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જોકે નેનુએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી,અને સૌ કોઈ દ્વિધામાં હતા કે નેનુએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હશે.!
પોલીસે પ્રથમ તો આ ઘટનામાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જોકે યુવતીના પિતા અને તેના ભાઈએ એક યુવક પર નેનુને પરેશાન કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા.અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારબાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો હતો.
આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે સગીરવયના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટેFSLમાં મોકલવામાં આવ્યો છે, જેથી મેસેજ, કોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતમાં પાટીદાર યુવતી નેનુના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.દેસાઈ સમાજના આગેવાન સહિત સમાજના લોકોએ ભેગા મળીને ઘટના અંગે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે નેનુ અને યુવક બંને એકબીજાના સંપર્કમાં હતા,અને એકબીજાથી ખુબજ સારી રીતે પરિચિત હતા,યુવક અને યુવતી વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ પણ તેઓએ પોલીસ કમિશનર સમક્ષ રજુ કર્યા હતા.અને જણાવ્યું હતું કે યુવકે યુવતીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધા બાદ તેણીએ તેને ઈમેલ દ્વારા મેસેજ કર્યા હતા,જેના સ્ક્રીનશોર્ટ પણ રજુ કરવામાં આવ્યા હતા,અને પોલીસ અટકાયતમાં રહેલા યુવક અને તેના પિતાને મુક્ત કરવાની માંગ કરી હતી.