સુરત: રાંદેર વિસ્તારમાં 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર

સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.

New Update

સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.

Advertisment
સુરતના રાંદેરમાં આવેલ ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય સની રાઠોડ નામનો યુવક ચોકલેટની દુકાનમાં કામ કરતો હતો,અને પોતાના માતા પિતા તેમજ ભાઈ સાથે રહેતા સની રાઠોડે કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો,જે અંગેની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓએ પોલીસને જાણકારી આપી હતી, હાલ રાંદેર પોલીસે યુવકના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટેની તપાસ શરૂ કરી હતી.   
Read the Next Article

સુરત : 30 કરોડના હીરા ચોરી કેસમાં આવ્યો નવો વળાંક, ફરિયાદી જ નીકળ્યો આરોપી, વીમો પકવવા રચ્યું હતું તરકટ

ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી

New Update
  • કાપોદ્રા કરોડોના હીરા ચોરીનો મામલો

  • પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો

  • ફરિયાદી જ નીકળ્યો આરોપી

  • ડી કે એન્ડ સન્સના માલિક જ નીકળ્યા આરોપી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી.જેમાં ચોર સીસીટીવીનાDVR પણ સાથે લઇ ગયા હોવાનું બહાર આવ્યું થયુ હતું.જોકે પોલીસની  તલસ્પર્શી તપાસે આ ઘટનામાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ લાવી દીધો છે.ઘટના ના ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી. દેવેન્દ્રકુમાર ચૌધરીએ આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઇશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા. આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો.

દેવેન્દ્રકુમાર ચૌધરીને દેવું વધી જતા વીમો પકવવા માટે ચોરીનું તરકટ રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેને 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો. પોલીસ માટે ચોંકાવનારી વાત તો એ હતી કેકંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. ત્યારે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અને તાળું ન તોડવા મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઇ હતી.

જોકેપોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂપિયા 10 લાખ આપવાની વાત થઈ હતીજેમાંથી રૂપિયા 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતાઅને બાકીના રૂપિયા 5 લાખ આપવાના બાકી હતા.