સુરત : પોલીસના ખાખીના રંગમાં વધુ એક માનવતાનો રંગ ઉમેરાયો,પોલીસની સરાહનીય સેવા

સુરત શહેરના DCP ઝોન-3 પોલીસની ટીમ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

New Update

સુરત પોલીસની સેવાકીય કામગીરીની ચારે કોર પ્રશંસા થઈ રહી છે.નાગરિકોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાનું પાલન કરાવતી પોલીસે "મુસાફિર હું યારો" અભિયાન થકી ગુમશુદા લોકોનું પરિવારજનો સાથે મિલન કરાવીને ખાખીના રંગમાં સેવાનો રંગ ઉમેર્યો હતો.

Advertisment

સુરત શહેરના DCP ઝોન-3 પોલીસની ટીમ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે."મુસાફિર હું યારો" અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગુમશુદા લોકોનું પરિવારજનો સાથે મિલન કરાવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. DCP ઝોન-3 પોલીસની ટીમ દ્વારા આ અભિયાન અંતર્ગત રસ્તે રઝળતા લોકોને મળીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે,અને તેમના પરિવાર સુધી પહોંચીને ગુમશુદા લોકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવી રહ્યું છે,આ અભિયાન અંતર્ગત મહિધરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે  25 વર્ષ અગાઉ આ વૃદ્ધ મહારાષ્ટ્રના સાંગલી થી સુરત આવ્યા હતા,અને રઝળપાટ કરતા હતા,તેઓની તબિયત નાદુરસ્ત લાગતા પોલીસે વૃદ્ધની પ્રથમ તો સારવાર કરાવી હતી,અને તેમના પરિવારજનોની માહિતી મેળવીને તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આમ સુરત DCP ઝોન-3 પોલીસ ટીમની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવીને પ્રશંસા કરી છે.

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment