સુરત : રત્નકલાકારોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ,ડાયમંડ વર્કર યુનિયની એકતા રેલીમાં મોટી સંખ્યામાં હીરા કામદાર જોડાયા

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • રત્નકલાકરોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ

  • હીરા મંદીથી રત્નકલાકારો આર્થિક ભીંસમાં મુકાયા

  • ડાયમંડ વર્કર યુનિયને કર્યું હડતાલનું એલાન

  • ઢોલ પીટીને હડતાલમાં જોડાવા કર્યું હતું એલાન

  • રત્નકલાકાર એકતા રેલી પણ યોજાઈ

Advertisment W3.CSS

 

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે.અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની રત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી હતીજેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા.

 

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે.આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે. આજે જ્યારે મંદીનો માહોલ છેત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે.તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છેજેના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

 

બે સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્નકલાકારોના પગાર વધારાહીરાના ભાવમાં વધારો કરવા અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોને ફી ભરવામકાનના હપ્તા ભરવામકાનના ભાડા ભરવાઆર્થિક પેકેજની માંગણી કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલા ન લેતા આખરે રત્નકલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

Read the Next Article

સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.

New Update
  • સુરતના કામરેજનો ચકચારી બનાવ

  • વાવ ગામે શ્વાન બાળકીને ખેંચી ગયું

  • માતા રસોઈ બનાવતી હતી એ દરમ્યાન બની ઘટના

  • હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહીં

  • પોલીસે ડ્રોન કેમેરાની લીધી મદદ

Advertisment W3.CSS
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી ત્યારે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે.હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી.તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા ૧૦૦ થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
પોલીસે બાળકીને શોધવા ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોડની પણ મદદ દીધી હતી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે .છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી.પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.ઝાડી ઝાંખરામાં ડ્રોન થી ચર્ચ કરવામાં આવી રહ્યું છે.ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.