સુરત : રત્નકલાકારોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ,ડાયમંડ વર્કર યુનિયની એકતા રેલીમાં મોટી સંખ્યામાં હીરા કામદાર જોડાયા

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • રત્નકલાકરોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ

  • હીરા મંદીથી રત્નકલાકારો આર્થિક ભીંસમાં મુકાયા

  • ડાયમંડ વર્કર યુનિયને કર્યું હડતાલનું એલાન

  • ઢોલ પીટીને હડતાલમાં જોડાવા કર્યું હતું એલાન

  • રત્નકલાકાર એકતા રેલી પણ યોજાઈ

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે.અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીનીરત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી હતીજેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા.

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે.આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે. આજે જ્યારે મંદીનો માહોલ છેત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે.તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છેજેના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

બે સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્નકલાકારોના પગાર વધારાહીરાના ભાવમાં વધારો કરવા અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોને ફી ભરવામકાનના હપ્તા ભરવામકાનના ભાડા ભરવાઆર્થિક પેકેજની માંગણી કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલા ન લેતા આખરે રત્નકલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.