સુરત : રત્નકલાકારોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ,ડાયમંડ વર્કર યુનિયની એકતા રેલીમાં મોટી સંખ્યામાં હીરા કામદાર જોડાયા

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • રત્નકલાકરોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ

  • હીરા મંદીથી રત્નકલાકારો આર્થિક ભીંસમાં મુકાયા

  • ડાયમંડ વર્કર યુનિયને કર્યું હડતાલનું એલાન

  • ઢોલ પીટીને હડતાલમાં જોડાવા કર્યું હતું એલાન

  • રત્નકલાકાર એકતા રેલી પણ યોજાઈ

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે.અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીનીરત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી હતીજેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા.

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે.આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે. આજે જ્યારે મંદીનો માહોલ છેત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે.તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છેજેના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

બે સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્નકલાકારોના પગાર વધારાહીરાના ભાવમાં વધારો કરવા અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોને ફી ભરવામકાનના હપ્તા ભરવામકાનના ભાડા ભરવાઆર્થિક પેકેજની માંગણી કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલા ન લેતા આખરે રત્નકલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.