સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક, માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં તપાસથી ફફડાટ

સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

New Update

સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શ્રાવણ માસ શરુ થતાની સાથે જ તહેવારોની મોસમ પણ શરુ થઇ છે.આ તહેવારોની ઉજવણીમાં મીઠાઈની માગમાં વધારો જોવા મળે છે,તો બીજી તરફ તહેવાર પ્રિય લોકોને મીઠાઈ ભેળસેળ યુક્ત ન મળે તે માટે સુરતના આરોગ્ય વિભાગે સફાળા જાગીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો,જેમાં સુરત શહેરના ભાગળ વિસ્તારમાં આવેલા માવાના હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો,આરોગ્ય વિભાગે માવાના નમૂના લઈને પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા હતા,જો માવાના સેમ્પલમાં ભેળસેળ જણાશે તો તે વેપારી સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.     
Read the Next Article

સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો

New Update
model suicide

સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે. 

model suicide  Case

23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.