“હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો” : સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો.

સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો

New Update

છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ કર્યા છે આપઘાત

મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોને ભોગવવું પડતું

રત્ન કલાકારોના આપઘાતની ઘટનાઓને અટકાવવા પ્રયાસ

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

યુનિયન દ્વારા હેલ્પલાઇન નં. 9239500009 શરૂ કરાયો

સુરતમાં વધતાં જતાં રત્ન કલાકારોની આપઘાતની ઘટના અટકાવવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત શહેર તથા જીલ્લામાં હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે.

મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે. સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નં. 9239500009 શરૂ કરવામાં આવ્યો છે. હે રત્ન કલાકારો આપઘાત ન કરોઅમને એક ફોન કરોની ટેગલાઈન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

 

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.