સુરતમાં અપહરણ અને હત્યા..! : બેગમાંથી 2 ટુકડા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા

New Update
  • અલથાણાં વિસ્તારમાં અપહરણ વિથ હત્યાનો બનાવ

  • 55 વર્ષીય વ્યક્તિનો 2 ટુકડા કરેલો મૃતદેહ મળી આવ્યો

  • અપહારણકારોએ માંગી હતી રૂ. 3 કરોડની ખંડણી

  • બેગમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ

  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના અલથાણાં વિસ્તારમાં અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા. જે મામલે અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાય હતી. જેમાં ચંદ્રવાન દુબેનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, અપહરણકારે રૂ. 3 કરોડની ખંડણી માંગી હતી. જે મામલે પોલીસે ચંદ્રવાન દુબેની શોધખોળ હાથ ધરી હતી.
જોકે, 3 દિવસ બાદ તેમના શરીરના 2 ટુકડા કરેલો મૃતદેહ લિંબાયત વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ  ખસેડયો હતો. તો બીજી તરફ ગુન્હાની ગંભીરતા દાખવી પોલીસ ભેસ્તાન પહોંચી હતી, જ્યાં એક મકાનમાં કેટલાક ઈસમો ગયા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.
જેમાં બીજે દિવસે સવારે રાશિદ નામનો ઈસમ 2 બેગ લઈ સ્કુટી પર સવાર થઈ ત્યાંથી નીકળતો જોવા મળે છે. જેને ટ્રેક કરતા લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તે બેગ મળી આવ્યું હતું. આ બેગમાં ચંદ્રવાન દુબેના શરીરના 2 ટુકડા મળી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.