સુરત: શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.

New Update

સુરતમાં પોલીસ એક્શન મોડમાં 

ભાગળ ચાર રસ્તાથી પોલીસે ફલેગમાર્ચ યોજી 

ઈદ એ મિલાદ ગણેશ વિસર્જન માટે પોલીસ બની સતર્ક

લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકાયો 

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કર્યું રિહર્સલ

સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે. શહેરના ભાગળ ચાર રસ્તા ખાતેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.જેમાં શહેરના વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ થકી શહેરવાસીઓને સબ સલામત ના દર્શન કરાવ્યા હતા.પોલીસની ફ્લેગમાર્ચ શહેરના સંવેદન વિસ્તારોમાં ફરી હતી,અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,તેમજ ઈદ એ મિલાદ તથા ગણેશ વિસર્જને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 
Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.