સુરત: શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.

New Update

સુરતમાં પોલીસ એક્શન મોડમાં 

ભાગળ ચાર રસ્તાથી પોલીસે ફલેગમાર્ચ યોજી 

Advertisment

ઈદ એ મિલાદ ગણેશ વિસર્જન માટે પોલીસ બની સતર્ક

લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકાયો 

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કર્યું રિહર્સલ

સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે. શહેરના ભાગળ ચાર રસ્તા ખાતેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.જેમાં શહેરના વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ થકી શહેરવાસીઓને સબ સલામત ના દર્શન કરાવ્યા હતા.પોલીસની ફ્લેગમાર્ચ શહેરના સંવેદન વિસ્તારોમાં ફરી હતી,અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,તેમજ ઈદ એ મિલાદ તથા ગણેશ વિસર્જને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 
Advertisment
Read the Next Article

સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના

  • યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું

  • પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી

  • ગોળી વાગતા વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે દિશામાં તપાસ 

Advertisment

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ચકચારી ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી. ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,અને ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisment