સુરત થયું પાણી’ પાણી’ : પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રનું મોનિટરિંગ, CP સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી...

સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

New Update
  • શહેર-જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં વરસ્યો ભારે વરસાદ

  • ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા

  • શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

  • પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા કરાતું સતત મોનિટરિંગ

  • CP સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા 2 દિવસ વરસેલા ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છેત્યારે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું રહ્યું છેજ્યારે પોલીસ કમિશનર સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છેત્યારે સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને પોલીસ વિભાગ પણ કામગીરી કરી રહી છેત્યારે ખાડીપૂરના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી.

સુરત શહેર તથા જીલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેત્યારે સુરત પોલીસ કમિશનરે લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને ખાસ કરીને બાળકોને પાણી ભરાયું હોય તેવી જગ્યાએ નહીં જવા દેવા અપીલ કરી હતી. વધુમાં મુશ્કેલી પડે અને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અસરથી પોલીસ કંટ્રોલને સંપર્ક કરવા જણાવ્યુ હતું.

તો બીજી તરફભારે વરસાદના કારણે સુરતની સીમાડા ખાડી ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાજ્યાં 24 કલાકથી પણ વધુ સમય ઘરમાં પાણી ભરાય રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકેબીજા દિવસે વરસાદે આંશિક વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા. આ તરફસુરતના મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. ખાડીનું લેવલ ઓવર ફ્લો થયું હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આખા જૂન મહિનામાં પડે તેટલો વરસાદ માત્ર 2 દિવસમાં પડ્યો હોવાનું મેયરે જણાવ્યું હતુંત્યારે રોગચાળો ન ફાટી નીકળે તે માટે પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવા પાલિકા તંત્રને આદેશ આપ્યો હતો.

Read the Next Article

સુરત : 3 વર્ષીય બાળકનો ટ્રેનમાં ટોઈલેટના ડસ્ટબિનમાંથી મૃતદેહ મળ્યો, માસીયાઈ ભાઈએ જ હત્યા કરી : પોલીસ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા 

New Update
  • અમરોલીમાં 3 વર્ષના બાળકના અપહરણનો મામલો

  • ટ્રેનના ટોયલેટમાંથી મળી આવ્યો છે બાળકનો મૃતદેહ

  • CCTV ફૂટેજના આધારે પોલીસને બાળકની ભાળ મળી

  • સગા માસિયાઈ ભાઈએ જ કર્યું હતું અપહરણ : પોલીસ

  • પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જે બાદ બાળકના મૃતદેહને ખભા પર લટકાવી મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પર ફરતોCCTVમાં જોવા મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

મૂળ બિહારના સિવાન જિલ્લાના બરહાન ગોપાલ ગામનો વતની અને હાલ સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈ ખાતે નોકરી કરી રહ્યા છેજ્યારે તેમની પત્ની દુર્ગાવતી કુમારી અને તેમનો 3 વર્ષનો પુત્ર આકાશ ઉર્ફે આરવ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા.

એક સપ્તાહ પહેલાં દુર્ગાવતી કુમારીની મોટી બહેન રબડી અને તેનો દીકરો વિકાસકુમાર બીશુંનદયાળ શાહ સુરત રહેવા આવ્યા હતા. આ દરમ્યાન 3 વર્ષીય માસૂમ બાળક આકાશની તેના જ માસિયાઈ ભાઈ વિકાસકુમારે અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી વિકાસે 22મી ઓગસ્ટના રોજ સુરતથી દાદર સુધીની મુસાફરી કરી હતી. તે દિવસે સાંજે દાદર સ્ટેશન પર તેના મોબાઇલનું છેલ્લું લોકેશન મળ્યું હતું.

ત્યારબાદ તે આકાશના મૃતદેહને લઇને લોકલ ટ્રેનમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ગયો હતો. મૃતદેહ સાથે મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. રાત્રે 1.04 વાગ્યે કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી હતી. જેમાંથી તમામ મુસાફરો ઉતરી ગયા બાદ આરોપીએ ખાલી ટ્રેન જોઈ બાળકના મૃતદેહને ટ્રેનના ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધો હતો. આ ઘટનાનાCCTV ફૂટેજ પણ સામે આવ્યા છેજેમાં આરોપી મૃતદેહને ખભા પર લઈ ફરતો જોવા મળ્યો હતો.

 પોલીસના જણાવ્યા મુજબબાળકનું મૃત્યુ ગળું દબાવીને કરાયું હતું. તેના ગળામાં જે દોરો હતોતેનાથી જ ગળું દબાવવામાં આવ્યું છે. જેના કારણે ગળું કપાઈ જવાથી બાળકનું મૃત્યુ થયું છે. પોલીસને આરોપીની માનસિક બીમારી અંગેની ફાઇલ પણ મળી છે. જેની ખરાઈ માટે તબીબ પાસે મોકલવામાં આવી છે. મુંબઈમાં આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ માટે અમરોલી પોલીસની 2 ટીમ અને ક્રાઈમ બ્રાંચની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છેત્યારે હાલ તો પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.