સુરત શહેરમાં ફરતી 50 હજાર રીક્ષામાંથી 35 હજાર રીક્ષાનો ફિટનેસ ટેસ્ટ થયો નથી, જુઓ હવે RTO કેવા પગલાં ભરશે..!

સુરત શહેરના માર્ગો પર 50થી 55 હજાર ઓટો રિક્ષાઓ દોડે છે. પરંતુ તેમાંથી 35 હજાર જેટલી ઓટોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મુકી રહી છે,

New Update
  • શહેરના માર્ગો પર દોડતી 50થી 55 હજાર ઓટો રિક્ષાઓ

  • દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવી પરમીટ મેળવવી ફરજિયાત

  • 35 હજાર રીક્ષાનો ફિટનેસ ટેસ્ટ થયો નથી : RTO સુરત

  • મુસાફરોના જીવ જોખમમાં મુકતાં અનેક રિક્ષા ચાલકો

  • 15 દિવસમાં ગેરકાયદેસર ચાલતી રીક્ષાઓ જપ્ત કરાશે

સુરત શહેરના માર્ગો પર 50થી 55 હજાર ઓટો રિક્ષાઓ દોડે છે. પરંતુ તેમાંથી 35 હજાર જેટલી ઓટોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મુકી રહી છેત્યારે RTO દ્વારા આગામી 15 દિવસમાં રસ્તાઓ પર દોડતી ગેરકાયદેસર રીક્ષા સામે ઝુંબેશ શરૂ કરી ઓટો જપ્ત કરવામાં આવશે.

સુરત RTOમાં 1.10 લાખ ઓટો રિક્ષા નોંધાયેલી છે. મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટોરિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત CNG ઓટોની CNG કીટનું રી-ટેસ્ટીંગ પણ કરવું પડશે. RTOના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષમાં 35 હજાર ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી. વર્ષ 2023-24માં 3,521 ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે. જે 2022-23માં માત્ર 1,897 હતી. નવી ઓટો રિક્ષા માટે દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. ફિટનેસ અને પરમિટ મેળવવા માટેઓટોમાં બ્રેકહેડલાઈટમીટરપીળા કલર બોર્ડ અને CNG કીટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે. ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ RTO ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાનું રહેશે. ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment
2/38

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.