સુરત : પરિણીત યુવકના આપઘાતની ઘટનામાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરતી પોલીસ

પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર તેની પત્ની અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી

New Update
  • પતિના આપઘાતનો મામલો

  • પત્નીનું અન્ય યુવક સાથે અફેર

  • પત્ની પ્રેમીના ત્રાસથી કર્યો આપઘાત

  • પતિને મારમારતો વિડીયો થયો હતો વાયરલ

  • પોલીસે પત્ની અને તેના પ્રેમીની કરી ધરપકડ

સુરતના પાલ સુડા આવાસમાં પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર તેની પત્ની અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેરના પાલ સુડા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઈમ આર્કેડમાં રેડીમેન્ટ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો.ચાર વર્ષ પહેલા તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જાણવા મળ્યા મુજબ પત્ની દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતુંજેની જાણ દીક્ષિતને થઈ હતી. આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી હતી.

પત્ની દિવ્યાદીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ ન દેતી હતી. દીક્ષિત અને દિવ્યા વચ્ચે ફરી ઝઘડો થયો હતો.દિવ્યાએ પોતાના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો અને બંનેએ મળીને દીક્ષિત સાથે મારામારી કરી હતી.પડોશીઓએ દોડી જઈને દીક્ષિતને બચાવ્યો હતો.

આ ઘટના બાદ દીક્ષિતે નાની બહેનને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છુંસુસાઇડ કરી લઈશની વાત કરી અને શનિવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસે દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર દિવ્યા અને તેના પ્રેમી કેવિન પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.