“ગેમ ઝોન” શરૂ થશે..? : સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા સામે પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું...

સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.

New Update

સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.

રાજકોટના ગેમ ઝોનની દર્દનાક દુર્ઘટના બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરીથી ગેમ ઝોન શરૂ કરવા માટે સરકાર દ્વારા જરૂરી નીતિનિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સુરતના સ્પેશિયલ પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ગેમ ઝોન શરૂ કરવા અંગેની શરતો વિશે માહિતી આપી હતી. ગેમ ઝોનના માલિકોએ ગેમ ઝોન શરૂ કરતા પહેલા તેના માટેનું લાયસન્સ લેવાની સાથે એક્સપર્ટ અભિપ્રાય અને થર્ડ પાર્ટી લાયાબિલીટી ઇન્સ્યોરન્સ સહિતની શરતોનું પાલન કરવું પડશે. વધુમાં ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે પણ ખાસ ધ્યાન રાખવા માટે પોલીસ કમિશનરે માહિતી આપી હતી.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.